ચુકાદોઃ અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદ દીનુબોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર

અટલ સમાચાર,ડેસ્ક આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે. જૂનાગઢના આરટીઆઇ
 
ચુકાદોઃ અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદ દીનુબોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર

અટલ સમાચાર,ડેસ્ક

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો આપતા પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓ જાહેર કર્યા છે. આરોપીઓને 11 જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.

આ કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણ અને સાંસદ દિનુ બોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.

જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની હત્યા મામલે મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુબોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.