કાંકરેજઃ ઘર તરફ આવવાની નજીવી બાબતે આધેડનો જીવ લીધો

ભગવાન રાયગોરઃ અટલ સમાચાર, કાંકરેજ કાંકરેજ તાલુકાના આબલુન ગામે ઘર તરફ આવવા બાબતની સામાન્ય બાબતે એક 54 વર્ષીય આધેડના મોતનું કારણ બન્યું છે. મૂઢ મારના લીધે દમ તોડી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થઈ રહેલ માહિતી અનુસાર જીવણ હેમાભાઈ ઉ.વ.54 કાંકરેજ તાલુકાના આબલુન ગામે રહેતા હતા. જેઓએ આરોપીઓને પોતાના ઘર તરફ વારંવાર
 
કાંકરેજઃ ઘર તરફ આવવાની નજીવી બાબતે આધેડનો જીવ લીધો

ભગવાન રાયગોરઃ અટલ સમાચાર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના આબલુન ગામે ઘર તરફ આવવા બાબતની સામાન્ય બાબતે એક 54 વર્ષીય આધેડના મોતનું કારણ બન્યું છે. મૂઢ મારના લીધે દમ તોડી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત થઈ રહેલ માહિતી અનુસાર જીવણ હેમાભાઈ ઉ.વ.54 કાંકરેજ તાલુકાના આબલુન ગામે રહેતા હતા. જેઓએ આરોપીઓને પોતાના ઘર તરફ વારંવાર આવવાની ના પાડતા રાજેશ મફાભાઈ પરમાર, મફા આલાભાઈ પરમાર, રતનબેન મફાભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ફેટો અને ગડદાપાટુનો મૂઢ માર માર્યો હતો. જોકે, મૃતકને ગંભીર ઈજાઓ પહોંચતાં થરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર ઈજાઓથી આધેડનું મોત નિપજવા પામ્યું હતું. મૃતકની લાશને વાલી-વારસદારોને સોંપવામાં આવી છે. તો આ તરફ ધર્મેન્દ્ર જીવણભાઈએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં આરોપીઓ સામે ખુન સહિતનો ઈન્ડીયન પીનલ કોડ અનુસાર ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.