કાંકરેજ તાલુકાના નેકારીયા જાખેલ પાસે કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ભગવાન રાયગોર, કાંકરેજ કાંકરેજ તાલુકાના નેકારીયા જાખેલ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતાં 40 વયનો યુવાન છે. જ્યારે આ બાબતે થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી થરા રેફરલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ આ યુવાન કચ્છનો ગોવિંદભાઈ
 
કાંકરેજ તાલુકાના નેકારીયા જાખેલ પાસે કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ભગવાન રાયગોર, કાંકરેજ

કાંકરેજ તાલુકાના નેકારીયા જાખેલ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જોતાં  40 વયનો યુવાન છે. જ્યારે આ બાબતે થરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી થરા રેફરલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

પ્રાથમિક તબક્કે જાણવા મળ્યા મુજબ આ યુવાન કચ્છનો ગોવિંદભાઈ રવાભાઈ આહિર ઉંમર 40 મીરાળા જે મંગળવારે ગુમ થયો છે તેવી મીરાળા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. મૃતક યુવાનના ખીંચામાથી 953 રૂપિયા, બે મોબાઇલ અને સીમ કાર્ડ મળી આવેલ છે. મૃતકનો ડાબો હાથ નથી.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય કેનાલમાં વારંવાર મૃતદેહ મળી આવે છે. જેથી જીવાદોરી સમાન કેનાલ હાલ પુરતી મોતની કેનાલ બની છે.