કાંકરેજ: પાકિસ્તાનથી આવેલા 12 પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી

અટલ સમાચાર, પાલનપુર પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા 12 જેટલાં શરણાર્થી પરિવારો કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં ડેપ્યુટી સરપંચ મુકેશજી અમરાજી માળીના ફાર્મ પર રહી ખેતીકામ અને શ્રમકાર્ય કરે છે. મુકેશજી માળી અને ગ્રામજનોએ આ શરણાર્થી પરિવારોને આશરો આપી રહેવા-જમવાની વ્યવસ્થા કરી સારો સહયોગ આપ્યોન છે. કોરોના વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આ પરિવારોની મુશ્કેલીઓ વિશે બનાસકાંઠા કલેકટર
 
કાંકરેજ: પાકિસ્તાનથી આવેલા 12 પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી

અટલ સમાચાર, પાલનપુર

પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા 12 જેટલાં શરણાર્થી પરિવારો કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં ડેપ્યુટી સરપંચ મુકેશજી અમરાજી માળીના ફાર્મ પર રહી ખેતીકામ અને શ્રમકાર્ય કરે છે. મુકેશજી માળી અને ગ્રામજનોએ આ શરણાર્થી પરિવારોને આશરો આપી રહેવા-જમવાની વ્યવસ્થા કરી સારો સહયોગ આપ્યોન છે. કોરોના વૈશ્વિક મહામારીના સંકટ વચ્ચે આ પરિવારોની મુશ્કેલીઓ વિશે બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેને જાણકારી મળતા વહીવટીતંત્ર દ્વારા શક્ય તેટલી મદદ પુરી પાડવા કલેકટરે અધિકારીઓને તરત સુચના આપી હતી.

કાંકરેજ: પાકિસ્તાનથી આવેલા 12 પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે પાકિસ્તાનથી બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૧૨ જેટલાં શરણાર્થી ખેતીકામ તેમજ શ્રમકાર્ય કરે છે. આજે કલેક્ટરની સુચનાથી જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ચેતન પટેલ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મીત પરમારે કાંકરેજ તાલુકાના તેરવાડા મુકામે શરણાર્થી પરિવારો પાસે પહોંચીને રાહત કીટ વિતરણ કરી હતી. આ રાહત કીટમાં લોટ, ખાંડ, દાળ, ચોખા, તેલ સહિત કરીયાણની વસ્તુઓનો સમાવેશ થાય છે. કલેકટર સંદીપ સાગલેના આ એક વધુ સંવેદનશીલ અભિગમની બનાસવાસીઓ પ્રશંસા કરી રહ્યા છે.

કાંકરેજ: પાકિસ્તાનથી આવેલા 12 પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી

પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા શરણાર્થી પરિવારોના વડીલ પ્રભુભાઇ ઠાકોરે જણાવ્યું કે, અમે ઠાકોર પરિવારો પાકિસ્તાનના હૈદરાબાદ જિલ્લાના મતિયારી અને ટંડોલીયા ગામમાં રહેતા હતાં. પાકિસ્તાનમાં અમારા પરિવારને રહેવું અને જીવવું બહુ મુશ્કેલ હતું. મજુરી કરીએ તો મજુરીના રૂપિયાના બદલે માર પડતો. પ્રભુભાઇ ઠાકોરે કહ્યું કે, પાકિસ્તાનમાં વસતા લઘુમતિઓની એવી માઠી દશા છે કે અમારી દિકરી 10 વર્ષની થાય ત્યારે તેને પરણાવી દેવી પડે નહીંતર ત્યાંના વિકૃત માણસો દિકરીને ઉઠાવી લઇ જાય. જે ઘરમાં બહેન-દિકરી હોય તે પરિવાર સતત ભય નીચે જ રહે છે.

કાંકરેજ: પાકિસ્તાનથી આવેલા 12 પરિવારોને વહીવટીતંત્રએ મદદ પહોંચાડી

શરણાર્થી મીરાબેન ઠાકોરે જણાવ્યું કે, પાકિસ્તાનમાં અમે ઘણો ત્રાસ ભોગવ્યો છે. ત્યાં અમે મજુરી જઇએ અને પૈસા માગીએ તો પણ પૈસાના બદલે માર જ પડતો. અને અમે ગરીબ હોવાથી કરી પણ શું શકીએ. મીરાબેને કહ્યું કે અમારી બહેન- દિકરીઓની આબરૂ અને પરિવારને બચાવવા અમે પહેરેલા કપડે બીજા શરણાર્થી જમનાબેન ઠાકોરે કહ્યું કે, મારે ૭ દિકરીઓ છે. જેમાંથી એક દિકરીને પરણાવી દીધી છે તે પાકિસ્તાનમાં છે અને હું ૬ દિકરીઓને લઇ ભારત માતાના શરણમાં આવી છું. મને વિશ્વાસ છે કે ભારતમાં અમને કોઇ તકલીફ નહીં પડે.

શરણાર્થી પરિવારોની વ્યથા જાણી અધિકારીઓએ પોતાના પોકેટમાંથી પૈસા આપ્યા

પાકિસ્તાનમાં ત્રાસ અને અત્યાચાર વેઠીને ભારતમાં આવેલ આ શરણાર્થી પરિવારોએ પાકિસ્તાનમાં જે સ્થિતિ હતી તેનું વર્ણન કરતા રડી પડ્યા હતા. તેઓની આપવીતિ સાંભળીને રાહત કીટ વિતરણ માટે ગયેલા બનાસકાંઠા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ચેતન પટેલ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી મીત પરમારે પોતાના પોકેટમાંથી રૂ. 6000/- કાઢી 12 શરણાર્થી પરિવારોને આર્થિક મદદ કરી હતી.