કાંકરેજ: હેલ્થ & વેલેન્સ સેન્ટર તાતીયાણામાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ
અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સૂચના મુજબ તાલુકા હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉણના મેડિકલ ઓફિસર ડો.વી.આર રાવળ તથા ગીતાબેન.ટી.જોશીના માર્ગદર્શન દ્વારા હેલ્થ & વેનેસ સેન્ટર તાતીયાણા સગર્ભા માતાઓને દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના તાતીયાણા હેલ્થ & વેલેન્સ સેન્ટર ખાતે મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી. સરપંચ મધુબેન પેથાજી રણાવાડિયા તથા પેથાજી મેણાજી રણાવાડિયાના વરદ હસ્તે સગર્ભા માતાઓને કુલ 29 દવાયુક્ત મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી.
આ પસંગે આગેવાનોએ હાજરી આપી હતી. જેનું સફળ આયોજન ડો. યોગેશકુમાર ઠક્કર CHO, સૂબાજી સી ખાખલેચા MPHW તાતીયાણા, મધુબેન ડી પરમાર FHW તાતીયાણા તથા આશા ફેસી લીડર તેમજ આશા બહેનોના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતુ. દવા યુક્ત મચ્છરદાની લાંબા સમય સુધી અસરકારક રહે તેના માટે તેની સાચવણી કેવી રીતે કરવી જેના વિષે સમજણ આપવામાં આવી હતી.