અટલ સમાચાર,કાંકરેજ
કાંકરેજ મામલતદાર તરીકે ફરજ બજાવતાં સજ્જનસિંહ ચૌહાણ ની બદલી સતલાસણા થતાં કાંકરેજ તાલુકા આગેવાનો ભારતસિંહ ભટેસરિયા,અંદાભાઈ પટેલ,સુખદેવસિંહ સોઢા,હસપુરીજી,ડાહયાભાઈ પીલિયાતર, ઇશ્વરભાઈ પટેલ ,બાબુભાઇ પટેલ, અનિલભાઈ ત્રીવેદી તેમજ કાંકરેજ તાલુકાના આગેવાનો દ્વારા આજે રૂની ગામમાં સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન તેમનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને અભિવાદન કરી મામલતદારની સેવાઓને બિરદાવી હતી.