કારગીલ યુદ્ધ: પાક. કબજામાં હતા આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ છૂટકારો

અટલ સમાચાર, ડેસ્ક પાકિસ્તાને આજે દાવો કર્યો છે કે તેઓ બે ભારતીય વિમાન પર હૂમલો કર્યો છે અને 2 પાયલોટની ધરપકડ કરી છે. તેવો દાવો કરે છે જેની પુષ્ટી હજુ બાકી છે. પરંતુ કહેવાઈ રહ્યું છે કે અભિનંદન નામના ભારતીય પાયલોટને પાકિસ્તાની સેનાએ કબજામાં લીધા છે. ત્યારે અમે આપને 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ સમયે
 
કારગીલ યુદ્ધ: પાક. કબજામાં હતા આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ છૂટકારો

અટલ સમાચાર, ડેસ્ક

પાકિસ્તાને આજે દાવો કર્યો છે કે તેઓ બે ભારતીય વિમાન પર હૂમલો કર્યો છે અને 2 પાયલોટની ધરપકડ કરી છે. તેવો દાવો કરે છે જેની પુષ્ટી હજુ બાકી છે. પરંતુ કહેવાઈ રહ્યું છે કે અભિનંદન નામના ભારતીય પાયલોટને પાકિસ્તાની સેનાએ કબજામાં લીધા છે. ત્યારે અમે આપને 20 વર્ષ પહેલા કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાન દ્વારા ભારતના એક ફાઇટર પાયલટની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ દુશ્મનની ચુંગાલમાં કેવી રીતે ફસાયા અને પરત ફર્યાની કહાણી દિલચસ્પ છે.

કારગીલ યુદ્ધ: પાક. કબજામાં હતા આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ છૂટકારો3 જૂન 1999ના રોજ કારગીલ યુદ્ધ દરમિયાન આઇએએફના ફાઇટર પાયલટ નચિકેતા ભારતીય હવાઈ સેનામાં ‘ઓપરેશન વ્હાઇટ સાગર’માં મીગ-27 ઉડ્ડયન કાર્ય સંભાળ્યું હતું. તે સમયે તેમની ઉંમર 26 વર્ષ હતી. જ્યાં નચિકેતાએ દુશ્મનોની આસપાસ જતા લગભગ 17 હજાર ફૂટથી રોકેટ દાંડી અને દુશ્મન કેમ્પ પર જીવંત રોકેટ ફૈરિંગથી હુમલો કર્યો. પરંતુ આ દરમિયાન તેમના વિમાનનું એન્જિન ખરાબ થઈ ગયું. જે બાદ એન્જિનમાં આગ લાગ લાગતાં મીગ ક્રેશ થઈ ગયું.

કારગીલ યુદ્ધ: પાક. કબજામાં હતા આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ છૂટકારોવિમાનથી સલામત બહાર નીકળવામાં સફળ રહ્યા પરંતુ તેઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.) પાસે સ્કાર્દુમાં ફસાયા. જ્યાં પાકિસ્તાની સૈનિકોએ તેમને પોતાના કબજે કરી લીધા. અને પાકિસ્તાન સેનાએ તેમને શારીરિક અને માનસિક બંને રીતે ટોર્ચર કરવાનું શરુ કર્યું. પાકિસ્તાની આર્મી તેમને ભારતીય ભૂમિ સેનાની માહિતી મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કંઈ પણ જણાવ્યું નહી. આ છે આપણા ભારતીય જવાન.

તે સમયે નચીકેતાનું પ્લેન ક્રેશ અને કબજાના ના સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચમકતા રહ્યા હતા. જે બાદ પાકિસ્તાન સરકાર પર દબાણ ઉભુ થયું અને 8 દિવસ પછી પાકિસ્તાનની આર્મીએ નચિકેતાને આંતરરાષ્ટ્રીય કમિટિ ઓફ ધ રેડ ક્રોસને સોંપ્યા. જે બાદ પાયલોટને વાઘા બૉર્ડર માર્ગે ભારત પરત મોકલ્યા.

કારગીલ યુદ્ધ: પાક. કબજામાં હતા આ ભારતીય પાયલોટ, 8 દિવસ બાદ છૂટકારો

કારગીલ યુદ્ધ 26 જુલાઈ 1999ના રોજ સમાપ્ત થયું હતું. આપને જણાવી દઈએ કે, 31 મે 1973ના જન્મેલ બહાદુર ભારતીય પાયલોટ નચીકેતાને વાયુ સેના મેડલથી સન્માનીત કરવામાં આવ્યા છે.