ગઠબંધનમાં નવો વળાંક : ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતા જ નહીં : કેજરીવાલ

અટલ સમાચાર,ડેસ્ક એક તરફ દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઇને અટકળો તેજ બની છે તેવા સમયે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલે મહત્વુનું નિવદેન આપતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી તમારો મત બગાડતા નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, જો તમે કોંગ્રેસને મત આપશો તો નરેન્દ્ર મોદી મજબૂત
 
ગઠબંધનમાં નવો વળાંક : ચૂંટણીમાં કોંગ્રેસને મત આપતા જ નહીં : કેજરીવાલ

અટલ સમાચાર,ડેસ્ક

એક તરફ દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણીને લઇને અટકળો તેજ બની છે તેવા સમયે દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલે મહત્વુનું નિવદેન આપતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપી તમારો મત બગાડતા નહીં.
અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, જો તમે કોંગ્રેસને મત આપશો તો નરેન્દ્ર મોદી મજબૂત થશે અને એવું કરશો નહીં.અરવિંદ કેજરીવાલનાં આ નિવેદન પરથી એવું જણાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે દિલ્હીમાં ચૂંટણી લડવા માંગે છે.
આ સિવાય, આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં દિલ્હી, પંજાબ, ગોવા, હરિયાણા, ચંદિગઢની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.