લોકડાઉનઃ રાશન કાર્ડ ન ધરાવતા શ્રમીકોને પણ આજે રાશન આપવામાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાનો પુરવઠો જાળવી રાખવો તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે એમ અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી અનાજની જરૂરિયાતને પહોંચી વળવા રાશનકાર્ડ ધારકોને ૮ કિલો રાશન આપવામાં આવશે. રાશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને
 
લોકડાઉનઃ રાશન કાર્ડ ન ધરાવતા શ્રમીકોને પણ આજે રાશન આપવામાં આવશે

અટલ સમાચાર, ડેસ્ક

નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાનો પુરવઠો જાળવી રાખવો તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે એમ અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ૧ એપ્રિલથી અનાજની જરૂરિયાતને પહોંચી વળવા રાશનકાર્ડ ધારકોને ૮ કિલો રાશન આપવામાં આવશે. રાશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને અન્નમબ્રહ્મ યોજના અંતર્ગત રાશન આપવામાં આવશે જેમાં ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું અને ૧ કિલો દાળ આપવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં શહેરની ૭૫૫ અને ગ્રામ્ય વિસ્તારની ૪૬૭ રાશન શોપ પર અનાજ વિતરણ કરવામાં આવશે. રાશન શોપ પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ૨,૨૭,૬૭૫ ફૂડ પેકેટ્સનું વિતરણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ આશ્રયકેન્દ્રો- શેલ્ટરહોમ કાર્યરત કરાયા છે જેમા ૨૯૪ લોકોએ આશ્રય મેળવ્યો છે. લોકડાઉન ઉલ્લંઘનના ૯૫૧ કિસ્સા સામે આવ્યા છે, ૮૫૨ વાહન ડિટેઇન કર્યા છે, ૫૬૦ લોકોની અટકાયત કરાઇ છે તથા ૩૮૭ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. જિલ્લા મથકે કાર્યરત કંટ્રોલરૂમમાં ૧૩૪૬ લોકોએ ફોન કરી સમસ્યાનું સમાધાન મેળવ્યું છે. બહુધા રાશન, વાહન વ્યવહાર, દૂધ, કરીયાણુ, દવા, તબીબી જરૂરિયાત, પાણી અને સફાઈને લગતી સમસ્યાઓ માટે નાગરિકોના ફોન આવી રહ્યા છે. શહેરી વિસ્તારમાંથી આવતા ફોન મહાનગરપાલિકાને ડાયવર્ટ કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તરે ૨૭૫૫ આઈસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ૫૩૧ પ્રવાસીઓ દેખરેખ હેઠળ છે. જાહેરમાં થૂંકવાના કિસ્સામાં ૨૫૭ લોકો પાસેથી ૫૯ ૪૭૦ નો દંડ લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૩૦,૯૬,૦૦૦નું દાન સ્વીકારવામાં આવ્યું છે. સાથેજ તેઓએ જિલ્લાના શ્રેષ્ઠીઓ-મહાનુભવોને ઉદાર હાથે ઉક્ત ફંડમાં ફાળો આપવા અપીલ કરી છે.