લોકસભા@વિજયઃ મોદીએ અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ મેળવ્યા

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા. આ બંને પીઢ નેતાઓને મોદી અને અમિત શાહ વિજયના અભિનંદન પાઠવવા અને તેમના આશિર્વાદ લેવા પહોંચ્યા
 
લોકસભા@વિજયઃ મોદીએ અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ મેળવ્યા

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણી 2019માં બીજી વખત મોદી લહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ પ્રચંડ વિજય પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા.

લોકસભા@વિજયઃ મોદીએ અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ મેળવ્યા

આ બંને પીઢ નેતાઓને મોદી અને અમિત શાહ વિજયના અભિનંદન પાઠવવા અને તેમના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ મુલાકાતના ફોટો ટ્વીટર પર શેર કરતા લખ્યું કે, ‘આદરણીય અડવાણીજીને આજે મળ્યો. ભાજપે જે સફળતા મેળવી છે તે તેમના નેતાઓની દેન છે, જેમણે દાયકાઓની મહેનત પછી પાર્ટી બનાવી છે અને વિચારધારાને જન-જન સુધી પહોંચાડી છે.’

લોકસભા@વિજયઃ મોદીએ અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ મેળવ્યા

જે બાદ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાતનો ફોટો પણ પીએમ મોદીએ ટ્વીટર પર શેર કર્યો છે. આ ફોટા મુજબ પોતાના ઘરે આવેલા પીએમ મોદીનું મુરલી મનોહર જોશીએ ગળે લગાવીને ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું.