નુકશાન@સુઇગામ: ઘાસચારામાં વિકરાળ આગથી અફરાતફરી, અંતે કાબુમાં
અટલ સમાચાર, સુઇગામ
સુઇગામ પંથકમાં ખેતરમાં પડેલ ઘાસચારામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે વાલજીભાઇના ખેતરમાં પશુઓ માટે રાખેલ ઘાસચારામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભાભર અને થરાદથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા હતા. બંને ફાયર ફાઇટરોએ ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઇ જતાં ખેડૂતને મોટુ નુકશાન થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના સરહદી સુઇગામ તાલુકાના સનાલી ગામે ઘાસચારામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સ્થાનિક ખેડૂત વાલજીભાઇના ખેતરમાં પશુઓ માટે રાખેલા ઘાસચારામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. થરાદ અને ભાભરના ફાયર ફાઇટર દ્રારા ભારે જહેમતને અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.