કાંકરેજના ભદ્રેવાડીમાં મકરસંક્રાંતિ પર્વે અબોલ જીવોની સેવા
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) મકરસંક્રાંતિ તહેવારે દાન-પુણ્યનો મહિમા રહેલો હોવાથી કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના લોકોએ અબોલ જીવો માટે ગામમાં ફાળો ઉઘરાવી ગાયોને ઘાસ-ચારો વહેંચ્યો હતો. કૂતરાઓ માટે શિરો બનાવી પુણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ. ગામમાં વહેલી સવારથી સરપંચ, આગેવાનો અને ગ્રામજનો દ્વારા એકત્રીત થઇ મકરસંક્રાંતિ પર્વ સેવાકાર્યમાં સમર્પિત કર્યો હતો.
Jan 15, 2019, 14:14 IST
અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)
મકરસંક્રાંતિ તહેવારે દાન-પુણ્યનો મહિમા રહેલો હોવાથી કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના લોકોએ અબોલ જીવો માટે ગામમાં ફાળો ઉઘરાવી ગાયોને ઘાસ-ચારો વહેંચ્યો હતો. કૂતરાઓ માટે શિરો બનાવી પુણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ. ગામમાં વહેલી સવારથી સરપંચ, આગેવાનો અને ગ્રામજનો દ્વારા એકત્રીત થઇ મકરસંક્રાંતિ પર્વ સેવાકાર્યમાં સમર્પિત કર્યો હતો.