મેઘમહેર@ઉ.ગુ: રાજ્યમાં મોન્સુન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં ચોમાસું સક્રિય થયું હોવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. હવામાન વિભાગે વરસાને લઈ આગાહી કરતા જણાવ્યું કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બે દિવસ સૌરાષ્ટ્ર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
 
મેઘમહેર@ઉ.ગુ: રાજ્યમાં મોન્સુન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસું સક્રિય થયું હોવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. હવામાન વિભાગે વરસાને લઈ આગાહી કરતા જણાવ્યું કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બે દિવસ સૌરાષ્ટ્ર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મહેસાણા, મહીસાગર અને અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ સહિત અનેક જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. તો મધ્યમ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતનું અનુમાન કર્યું છે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ જામશે 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.

આ સાથે 22 થી 25 જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે. બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે. નોંધનીય છે કે, હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો