મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર ગુજરાતમાં ફેમસ એવા લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મોઢેરા પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે. એવી માહિતી મળી છે કે પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હતી. જે બાદમાં માર મરાયાનો આક્ષેપ કાજલ મહેરિયા તરફથી કરવામાં
 
મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર ગુજરાતમાં ફેમસ એવા લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયાનો આક્ષેપ કરાયો છે. આ મામલે મોઢેરા પોલીસ મથકે બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાજલ મહેરિયાએ બે લોકો વિરુદ્ધ ફરિયાદ આપી છે. એવી માહિતી મળી છે કે પારિવારિક ઝઘડામાં બોલાચાલી થઈ હતી. જે બાદમાં માર મરાયાનો આક્ષેપ કાજલ મહેરિયા તરફથી કરવામાં આવ્યો છે.

મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા વ્યક્તિના ઘરે જ્યારે કાજલ મહેરિયા ગઈ હતી ત્યારે તેને લાફો ઝીંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. કાજલ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરતા વ્યક્તિના ભાઈના ખબરઅંતર પૂછવા માટે ગઈ હતી.

મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં રહેનાર કાજલ મહેરિયાના અનેક ગીતો યુ-ટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યા છે. ‘મળ્યા માના આશીર્વાદ’ તેનું ખૂબ જાણીતું ગીત છે. એવી માહિતી મળી છે કે કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા બાબખાનના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેણી પણ હુમલો થયો હતો. એવી માહિતી મળી છે કે બાબખાનના ભાઈની તબિયત પૂછવા માટે કાજલ જ્યારે તેના ઘરે ગઈ ત્યારે બાબખાનના કેટલાક વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને બાબખાન સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન બાબખાનના ઘરે આવી પહોંચેલા તત્વોએ કાજલ સાથે ગાળાગાળી કરી હતી અને તેણી પર હુમલો કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

કાજલ મહેરિયાનો જન્મ વિસનગર તાલુકા ગોઠવા ગામે 21 નવેમ્બર 1992 થયો હતો. કાજલના પિતા ખેડૂત છે. કાજલના અનેક ગીત, ગરબા, ભજન, ભક્તિ ગીતો વગેરે પ્રસિદ્ધ થયા છે.

મહેસાણા: લોકગાયિકા કાજલ મહેરિયા પર બે ઇસમોએ હુમલો કર્યો

કાજલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. કાજલ મહેરિયાએ એક હજારથી વધારે ગુજરાતી ગીતને સ્વર આપ્યો છે. છેલ્લા આઠેક વર્ષથી કાજલ આ ક્ષેત્રે કામ કરી રહી છે. કોરોના કાળ દરમિયાન પણ કાજલ અનેક વખત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી ચૂકી છે.