મહેસાણાઃ શહેરમાં રેલ્વેની કામગીરીના પગલે વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયા

અટલ સમાચાર, મહેસાણા ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી અમદાવાદ તથા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ભમરીયાનાળા બ્રિજ નં-105 (આઇ.આર.બ્રિજનં 963અને 963 એ)નું બાંધકામ-સમારકામના પ્રથમ તબક્કામાં બ્રિજનં-963ની કામગીરી ચાલુ થનાર હોઇ જાહેર સલામતી અને ટ્રાફિકની મુશ્કેલી નિવારણ માટે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ દ્વારા ભમરીયા નાળા બ્રિજ ૯૬૩ બંધ કરવા અને મહેસાણા શહેરમાં વાહન વ્યવહાર ડાયવર્ઝનનો આદશ
 
મહેસાણાઃ શહેરમાં રેલ્વેની કામગીરીના પગલે વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયા

અટલ સમાચાર, મહેસાણા

ડેડીકેટેડ ફેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી અમદાવાદ તથા વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા ભમરીયાનાળા બ્રિજ નં-105 (આઇ.આર.બ્રિજનં 963અને 963 એ)નું બાંધકામ-સમારકામના પ્રથમ તબક્કામાં બ્રિજનં-963ની કામગીરી ચાલુ થનાર હોઇ જાહેર સલામતી અને ટ્રાફિકની મુશ્કેલી નિવારણ માટે જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ દ્વારા ભમરીયા નાળા બ્રિજ ૯૬૩ બંધ કરવા અને મહેસાણા શહેરમાં વાહન વ્યવહાર ડાયવર્ઝનનો આદશ કરેલ છે.

(1) મહેસાણા મોઢેરા ચોકડીથી APMC ગંજ બજાર તથા મહેસાણા-૦1 પાંચલીંબડીમાં આવતા વાહનો માટે ડાઇવર્ઝન રૂટ પાલાવાસણા સર્કલ થી શોભાસણ રેલ્વેબ્રિજ (વિજાપુર રોડ) નીચેના શોભાસણ રોડ થઇ હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.

(2) વિસનગર/ વિજાપુર થઈને APMC ગંજ બજાર મહેસાણામાં આવતા વાહનો માટે રામપુરા ચોકડી થી આવતા વાહનો કુક્સ ગામમાં થઈને હેડુવા હનુમંત જવાના રસ્તે થઈને બ્રહ્માણી માતાના મંદિર થઈ જનતાનગર થઈ APMC ગંજ બજારમાં પ્રવેશ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

(3) મહેસાણા મોઢેરા ચોકડી થી બી.કે. સિનેમા થઇ મહેસાણા ટાઉનમાં આવતા વાહનો માટે મહેસાણા

શહેર એક માં પ્રવેશનાર LMV/નાના વાહનો ગોપીનાળા અથવા આંબેડકર બ્રિજ થઈ મહેસાણા શહેરમાં પ્રવેશ કરશે.

(4) APMC તથા શહેરમાં પ્રવેશેલ વાહનો ભમરીયા નાળા બ્રિજ નં.963એ માંથી બહાર મોઢેરા ચાર
રસ્તા તરફ જઈ શકશે. આ જાહેરનામું 26 ઓક્ટોબરથી 20 નવેમ્બર 2020ના 24 કલાક સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે.