મહેસાણા: પ્રાથમિક શાળામાં સતપાલ મહારાજના ભકતો ઘ્વારા ફુટ વિતરણ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણાની માનવ ઉત્થાન સેવા સમિતિના સદગુરૂદેવ સતપાલજી મહારાજના માતા રાજરાજેશ્વરીની ૬-૪-ર૦૧૯ને શનિવારના રોજ જન્મ જયંતિ નિમિત્તે શુકવારે દેલાનગર વસાહત પ્રાથમિક શાળા ખાતે સ્કુલના બાળકોને ફુટ, બિસ્કિટ વિતરણ તેમજ દેલાનગર વસાહત ખાતે લોકસભા ચુંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે ભવાઇ, નાટકનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે નાયબ જીલ્લા પાથમિક શિક્ષણાધિકારી પુલકીતભાઇ જોષી તેમજ માનવ આશ્રમના
 
મહેસાણા: પ્રાથમિક શાળામાં સતપાલ મહારાજના ભકતો ઘ્વારા ફુટ વિતરણ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાની માનવ ઉત્થાન સેવા સમિતિના સદગુરૂદેવ સતપાલજી મહારાજના માતા રાજરાજેશ્વરીની ૬-૪-ર૦૧૯ને શનિવારના રોજ જન્મ જયંતિ નિમિત્તે શુકવારે દેલાનગર વસાહત પ્રાથમિક શાળા ખાતે સ્કુલના બાળકોને ફુટ, બિસ્કિટ વિતરણ તેમજ દેલાનગર વસાહત ખાતે લોકસભા ચુંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ માટે ભવાઇ, નાટકનું આયોજન કરાયુ હતુ.

આ પ્રસંગે નાયબ જીલ્લા પાથમિક શિક્ષણાધિકારી પુલકીતભાઇ જોષી તેમજ માનવ આશ્રમના સંતો, મહાત્મા વિચાર સંતોષી બાઇજી, મહાત્મા ક્ષિપાબાઇજી તેમજ સ્કુલના આચાર્ય વિનુભાઇ તેમજ સમસ્ત દેલા વસાહતના મતદારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. તા.૬-૪-૧૯ ને શનિવારના રોજ માતા રાજેશ્વરીની જન્મજયંતિ નિમિત્તે માનવધર્મ આશ્રમ ,માનવધર્મ ચાર રસ્તા મહેસાણા ખાતે સવારે ૭:૦૦ વાગે આરતી-પુજન તેમજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી સત્સંગ તેમજ ભજનના પ્રોગ્રામનું આયોજન કરાયુ છે.