મહેસાણા-પાટણ : શહીદોને શ્રધ્ધાંજલિ માટે સજજડ બંધ પાડયો

અટલ સમાચાર,પાટણ,મહેસાણા (અહેવાલ-દિવ્યાંગ જોષી) જમ્મુ-કાશ્મીરના પુલવામા હાઇવે પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા ભારતના વીર જવાનો શહીદ થયા છે. તેઓને અંજલિ આપવા માટે તથા આતંકવાદીઓને સજા આપવાની માંગ સાથે મહેસાણાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલો કરવામાં આવતા ઠેર-ઠેર આક્રોશ ફેલાયો છે. આથી શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી રૂપે મહેસાણા અને પાટણના
 
મહેસાણા-પાટણ : શહીદોને શ્રધ્ધાંજલિ માટે સજજડ બંધ પાડયો

અટલ સમાચાર,પાટણ,મહેસાણા (અહેવાલ-દિવ્યાંગ જોષી)

જમ્મુ-કાશ્મીરના પુલવામા હાઇવે પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા ભારતના વીર જવાનો શહીદ થયા છે. તેઓને અંજલિ આપવા માટે તથા આતંકવાદીઓને સજા આપવાની માંગ સાથે મહેસાણાના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.

આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં હુમલો કરવામાં આવતા ઠેર-ઠેર આક્રોશ ફેલાયો છે. આથી શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી રૂપે મહેસાણા અને પાટણના બજારો સ્વયંભૂ જડબેસલાક બંધ રહયા હતા. મહેસાણાના બી.કે રોડ, માલ ગોડાઉન રોડ, માર્કેટ યાર્ડની દુકાનો, કૃષ્ણ સિનેમા રોડ, રાજમહેલ રોડ અને તોરણવાળી માતાનો ચોક સ્થિત તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. આ સાથે પાટણના કોલેજ રોડના મુયરભાઇ,ભાવેશભાઇ અને સંજયભાઇ સહિતના વેપારીઓએ સજજડ બંધ પાડી શહિદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.