તાલુકા પંચાયત@મહેસાણા: અવિશ્વાસની દરખાસ્તમાં પ્રમુખને જીવતદાન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય ડ્રામાનો સુખદ અંત આવ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર સદસ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસે રાહતનો દમ લીધો છે. 8 વિરુદ્ધ 18 મતથી પ્રમુખને જીવતદાન મળ્યું છે. કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તાપલટો કરવા અસંતુષ્ટ જૂથના સભ્યોએ ભાજપ સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત આપી
 
તાલુકા પંચાયત@મહેસાણા: અવિશ્વાસની દરખાસ્તમાં પ્રમુખને જીવતદાન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા રાજકીય ડ્રામાનો સુખદ અંત આવ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર સદસ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસે રાહતનો દમ લીધો છે. 8 વિરુદ્ધ 18 મતથી પ્રમુખને જીવતદાન મળ્યું છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં સત્તાપલટો કરવા અસંતુષ્ટ જૂથના સભ્યોએ ભાજપ સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત આપી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખને દૂર કરવા કુલ 17 સદસ્યો એક થઈ ગયા હતા. આ પછી રાજકીય ભાગદોડની વચ્ચે પ્રમુખે પાર્ટી સાથે મળી સદસ્યોના મનામણા શરૂ કર્યા હતા.

આ તરફ જિલ્લા પંચાયત દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મામલે શનિવારે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દરખાસ્ત પૈકીના 9 સભ્યો ગેરહાજર રહ્યા હતા. આથી કુલ 26 હાજર સભ્યો વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 18 સભ્યોએ પ્રમુખ તરફી મતદાન કરતા ભાજપના સભ્યો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

છેલ્લી ઘડીએ કોંગ્રેસે પોતાના સદસ્યોને મનાવી લેતાં ભાજપને છેતરાયો હોવાની પ્રતીતિ થઈ હતી. જોકે લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાના કારણસર પ્રમુખને જીવતદાન મળ્યું હોવાનું મનાય છે.