મહેસાણા: પદમાવત ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા આવેદનપત્ર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લા કલેકટરને રાજપુત સમાજ ઘ્વારા પદમાવત ફિલ્મના વિરોધ પદર્શન વખતે જે તોફાનો થયા હતા અને તેમા થયેલા ખોટા કેસો પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગવાનો અને યુવાનો હાજર રહયા હતા. ફિલ્મ પદમાવતનો વિરોધ જયારે રાજપુત સમાજ કરી રહયો હતો ત્યારે કેટલાક અસામાજીક તત્વો ઘ્વારા
 
મહેસાણા: પદમાવત ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા આવેદનપત્ર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા કલેકટરને રાજપુત સમાજ ઘ્વારા પદમાવત ફિલ્મના વિરોધ પદર્શન વખતે જે તોફાનો થયા હતા અને તેમા થયેલા ખોટા કેસો પરત ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં રાજપુત સમાજના આગવાનો અને યુવાનો હાજર રહયા હતા.

મહેસાણા: પદમાવત ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા આવેદનપત્ર

ફિલ્મ પદમાવતનો વિરોધ જયારે રાજપુત સમાજ કરી રહયો હતો ત્યારે કેટલાક અસામાજીક તત્વો ઘ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે જણાવાયુ છે કે, તે દરમ્યાન તોફાનો બાદ પોલીસે રાજપુત સમાજના નિદોર્ષ યુવાનોને પકડી ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. જેમાં મોટાભાગના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પોતાની કારકીર્દી બનાવવા માંગતા હોઇ આવા કેસોથી તેમનું ભવિષ્ય અંધકારમય બની જશે. જેથી આ કેસો તાત્કાલિક પાછા ખેંચવા માટે મહેસાણાના એડવોકેટ જયદેવસિંહ બી ચાવડા સહિત રાજપુત સમાજે કલેકટર અને સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

મહેસાણા: પદમાવત ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા આવેદનપત્ર