મહેસાણા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજાપુરમાં ચેકડેમનું કરશે ખાતમુહૂર્ત

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 4 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ 4 જુલાઇના રોજ મહેસાણાની મુલાકાત લેશે. જેમાં 4 જુલાઇના રોજ અમિત શાહ વિજાપુર જશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિજાપુરના હિરાપુરમાં 250 કરોડના ખર્ચે તૈયાર થનાર ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી
 
મહેસાણા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજાપુરમાં ચેકડેમનું કરશે ખાતમુહૂર્ત

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી 4 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અમિત શાહ 4 જુલાઇના રોજ મહેસાણાની મુલાકાત લેશે. જેમાં 4 જુલાઇના રોજ અમિત શાહ વિજાપુર જશે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિજાપુરના હિરાપુરમાં 250 કરોડના ખર્ચે તૈયાર થનાર ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે.

આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીના કિનારે 250 કરોડના ખર્ચે આ ચેકડેમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 4 જૂલાઇના રોજ ચેકડેમનું ખાતમૂહુર્ત કરવા મહેસાણાના વિજાપુર ખાતે આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મહેસાણાના વિજાપુરની મુલાકાતને લઇને તંત્ર આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેન્દ્રમાં ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર અમિત શાહ મહેસાણાની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હોય કાર્યક્રરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઇને પાર્ટી દ્વારા પણ મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી પાર્ટીના કોઇ કાર્યક્રમને લઇને પુષ્ટી કરવામાં આવી નથી.