ધારાસભ્ય@ધાનેરા: લોકડાઉનમાં તમામ પરિવારોને સરકારી અનાજ આપવા માંગ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્રારા તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરેલ છે. જોકે ધાનેરા પંથકમાં માત્ર અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડધારકોને જ જથ્થો આપવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી તમામ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનું વિતરણ કરવા જરૂરી હુકમો કરવા માંગ
 
ધારાસભ્ય@ધાનેરા: લોકડાઉનમાં તમામ પરિવારોને સરકારી અનાજ આપવા માંગ

અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)

કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્રારા તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરેલ છે. જોકે ધાનેરા પંથકમાં માત્ર અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડધારકોને જ જથ્થો આપવામાં આવતો હોવાના આક્ષેપો થયા છે. જેને લઇ સ્થાનિક ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી તમામ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનું વિતરણ કરવા જરૂરી હુકમો કરવા માંગ કરી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પંથકમાં સરકારી અનાજ માત્ર અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને આપવામાં આવતુ હોવાનું ચિત્ર બન્યુ હતુ. જેને લઇ સ્થાનિક ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, એપીએલ અને નોન NFSA કાર્ડ ધારકોને અનાજનો જથ્થો મળતો નથી. ખરેખર રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ રેશનકાર્ડ ધારોકો અનાજનો જથ્થો વિનામુલ્યે આપવો જોઇએ. અત્યારના કપરા સમયમાં તમામ પરિવારોને લાભ મળવો જોઇએ.

ધારાસભ્ય નથાભાઇ પટેલે ઉમેર્યુ હતુ કે, કોરોનાને લઇ પંજાબ સરકારે પણ રેશનકાર્ડ ધરાવતાં તમામ પરિવારો ઉપરાંત રેશનકાર્ડ ન હોય તેવા જરૂરિયાતમંદ પરિવારોને ઘરે ઘરે રાશન પહોંચાડેલ છે. તેજ રીતે ગુજરાતના તમામ પરિવારોને સારી ક્વોલિટીનું રાશન મળે તે માટે સત્વરે હુકમ કરવા રજૂઆત કરી છે. નોંધનિય છે કે, ઉત્તર ગુજરાતમાં મોટાભાગના તાલુકાઓમાં એપીએલ અને નોન NFSA કાર્ડ ધારકોને સરકારી અનાજ મળતુ ન હોવાના આક્ષેપો થયા છે.