મોડાસા: વિવિધ માંગણીઓને લઇ કોંગ્રેસના ધરણાં, ઘર-ઘર મંદીના બોર્ડ
અટલ સમાચાર,મોડાસા
અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ મોડાસા ચાર રસ્તા ખાતે ખેડૂતોના સમર્થનમાં ધરણા યોજ્યા હતા. આ સાથે માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે ન્યાય અપાવવા માંગ કરી સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે આંદોલન કરી રેલી યોજી હતી. દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો. સાથે કહ્યું કે, મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે જીલ્લા કોંગ્રેસ દ્રારા ધરણાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ધરણામાં કોંગ્રેસી અગ્રણીઓ, ત્રણ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે વધુ વરસાદથી અને કમોસમી વરસાદથી ખેડૂતની સ્થિતિ વણસી છે. મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. દેશની આજની સ્થિતિ કંઈક અલગ થઈ છે કમોસમી વરસાદ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવ્યું હતું.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
મોડાસા ચાર રસ્તા ખાતે યોજાયેલ અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિના ધરણામાં ભાજપ પર આકાર પ્રહારો કર્યા હતા. બેટી બચાવો પણ ભાજપથી બેટી બચાવોની સ્થિતિનું આજે નિર્માણ થયું હોવાનુ કોંગ્રેસે જણાવ્યુ હતુ. 6 વર્ષમાં મોદી સરકાર દ્વારા આપવામાં આવેલાં નારા માત્ર નારો જ રહ્યું હોવાનું જણાવ્યું હતું રેલી સ્વરૂપે શહેરના મુખ્યમાર્ગો પર કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપની મોદી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી રોષ પ્રગટ કર્યો હતો.