નિવૃત કર્મચારી મંડર દ્વારા પેન્શનર ડે ની ઉજવણી કરાઈ
અટલ સમાચાર, સાબરકાંઠા મેઘરજના નિવૃત કર્મચારી મંડર દ્વારા ગત તા.20 જાન્યુઆરીના રોજ મેઘરજના ગાયત્રી મંદિર સંત્સગ હોલમાં પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પેન્શનર ફેડરેશનના પ્રમુખ મણીભાઈ સુથારના અધ્યક્ષપદે યોજાયેલ પેન્શનર ડેની ઉજવણીમાં અરવલ્લી જીલ્લાના 6 તાલુકાઓના નિવૃત કર્મચારી મંડળના પ્રમુખો સહીત મેઘરજ તાલુકાના સરકારના જુદા જુદા ખાતાઓમાં ફરજ નિભાવતા નિવૃત થયેલ અને
Jan 23, 2019, 16:21 IST
અટલ સમાચાર, સાબરકાંઠા
મેઘરજના નિવૃત કર્મચારી મંડર દ્વારા ગત તા.20 જાન્યુઆરીના રોજ મેઘરજના ગાયત્રી મંદિર સંત્સગ હોલમાં પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પેન્શનર ફેડરેશનના પ્રમુખ મણીભાઈ સુથારના અધ્યક્ષપદે યોજાયેલ પેન્શનર ડેની ઉજવણીમાં અરવલ્લી જીલ્લાના 6 તાલુકાઓના નિવૃત કર્મચારી મંડળના પ્રમુખો સહીત મેઘરજ તાલુકાના સરકારના જુદા જુદા ખાતાઓમાં ફરજ નિભાવતા નિવૃત થયેલ અને પેન્શનર મંડળમાં જોડાયેલ તમામ નિવૃત કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
આ પ્રસંગે મેઘરજ તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ અમૃતભાઈ પંચાલ મંત્રી અળખાભાઈ જે.ડામોર મુસાભાઈ એ. ચડી, અરવીંદભાઈ પી પંડ્યા તથા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા ઉપસ્થિત, 700 જેટલા પેન્શનરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આી હતી.