બહુચરાજીઃ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર) બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલ શ્રી જાગૃતિ વિદ્યાલયમાં શનિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જાગૃતિ વિદ્યાલયમાં માર્ચ-2019માં ધોરણ-10માં શાળામાં પ્રથમ ક્રમ
Mar 2, 2020, 14:38 IST
અટલ સમાચાર, બેચરાજી (ભૂરાજી ઠાકોર)
બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામમાં આવેલ શ્રી જાગૃતિ વિદ્યાલયમાં શનિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સૌપ્રથમ મહેમાનો દ્રારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જાગૃતિ વિદ્યાલયમાં માર્ચ-2019માં ધોરણ-10માં શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર તથા ધોરણ 12 માં પ્રથમ ક્રમ મેળવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે શાળાના સ્ટાફે સુંદર આયોજન કર્યુ હતું. સાંપાવાડાની શ્રી જાગૃતિ વિદ્યાલયના આચાર્ય અશોકભાઈ બી.પટેલ સહિત વિદ્યાર્થીઓની ઉપસ્થિતમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો.