નરેન્દ્ર મોદી લોકોના સપના પૂરા કરશે, યોગ ગુરૂ બાબા રામદેવ

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત બાદ પહેલીવાર યોગ ગુરુ બાબા રામદેવ લોકસભા ચૂંટણીને લઇને રાજનૈતિક મંચ પર જોવા મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. આ સાથે જ બાબા રામદેવે PM મોદીના બીજા કાર્યકાળની પણ ભવિષ્યવાણી કરી હતી. જ્યારે પટનામાં રવિશંકર પ્રસાદના કાર્યક્રમમાં બાબા રામદેવ
 
નરેન્દ્ર મોદી લોકોના સપના પૂરા કરશે, યોગ ગુરૂ બાબા રામદેવ

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર ન કરવાની જાહેરાત બાદ પહેલીવાર યોગ ગુરુ બાબા રામદેવ લોકસભા ચૂંટણીને લઇને રાજનૈતિક મંચ પર જોવા મળ્યા હતા અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. આ સાથે જ બાબા રામદેવે PM મોદીના બીજા કાર્યકાળની પણ ભવિષ્યવાણી કરી હતી.

જ્યારે પટનામાં રવિશંકર પ્રસાદના કાર્યક્રમમાં બાબા રામદેવ પટના સાહિબથી BJPના ઉમેદવાર રવિશંકર પ્રસાદનું ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં ગયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરનારા બાબા રામદેવે 2019 લોકસભા ચૂંટણીમાં કોઇપણ પ્રકારના પ્રચારમાં શામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, રાજનૈતિક રીતે મેં મારી જાતને પાછો લઇ લીધો છે.

યોગ ગુરુ બાબા રામદેવે એ જણાવ્યું હતું કે, 2019માં કોઇપણ વડાપ્રધાન બનવાથી નરેન્દ્ર મોદીને નહીં રોકી શકે અને ઇતિહાસ ફરી રચાશે. 2014માં આંધી હતી અને 2019મા સુનામી છે. લોકોના જે સપના છે તેને મોદીજી પૂરા કરશે.