નર્મદા@રાધનપુર: માઇનોર કેનાલમાં ગાબડું, પાકમાં પાણી ફરી વળતાં નુકશાન
અટલ સમાચાર, રાધનપુર
કોરોના મહામારી વચ્ચે રાધનપુર તાલુકાના ગામે માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કૃષિપાકને નુકશાન પહોંચ્યુ છે. આજે સવારના સમયે માઇનોર કેનાલમાં ગાબડું પડતાં નજીકના તૈયાર થયેલા કૃષિપાકમાં પાણી ફરી વળ્યા હતા. નોંધનિય છે કે, અગાઉ વરસાદને કારણે કૃષિપાકમાં નુકશાની વચ્ચે આજે કેનાલમાં ગાબડું પડતાં ફરી એકવાર ખેડૂતોને નુકશાની વેઠવાની વારો આવ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર પંથકમાં તંત્ર અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનેલ નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યુ છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ છે કે, નર્મદા કેનાલના કામમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. આ તરફ આજે રાધનપુરના ગોતરકા ગામની ગડસાઇ માઇનોર કેનાલમાં ગાબડું પડતાં કૃષિપાકને મોટું નુકશાન થયુ છે. ગાબડાંને કારણે જુવારના ઉભા પાકમાં હજારો ક્યુસેક પાણી ફરી વળતાં જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.