નર્મદા@થરાદ: માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું, દિકરીનો અતોપતો નથી

અટલ સમાચાર, થરાદ (રમેશ રાજપૂત) થરાદની નર્મદા મુખ્ય કેનાલ પરથી ગંભીર સમાચાર સામે આવ્યા છે. દુધ શીત કેન્દ્ર પાસેની કેનાલમાં એક મહિલાએ પોતાની વીસ વર્ષની પુત્રી સાથે ઝંપલાવ્યું છે. આપઘાત કરવાની ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યારે તેની પુત્રીની શોધખોળ ચાલુ છે. video: બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકની નર્મદા કેનાલમાં
 
નર્મદા@થરાદ: માતા-પુત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું, દિકરીનો અતોપતો નથી

અટલ સમાચાર, થરાદ (રમેશ રાજપૂત)

થરાદની નર્મદા મુખ્ય કેનાલ પરથી ગંભીર સમાચાર સામે આવ્યા છે. દુધ શીત કેન્દ્ર પાસેની કેનાલમાં એક મહિલાએ પોતાની વીસ વર્ષની પુત્રી સાથે ઝંપલાવ્યું છે. આપઘાત કરવાની ઘટનાને પગલે સ્થાનિક તરવૈયાઓએ મહિલાને બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યારે તેની પુત્રીની શોધખોળ ચાલુ છે.

video:

બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકની નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ મોતની છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મુખ્ય કેનાલમાં આપઘાત કરવાની કોશિશ થઈ હોવાની જાણ થતાં તરવૈયા મારફત બચાવવા દોડધામ શરૂ કરાઇ હતી. જેમાં ભરડવા ગામની મહિલાને ડૂબતી બચાવી સારવાર માટે થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કલાકો પછી પણ દિકરીનો અતોપતો નહિ મળતાં મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે. કયા કારણોસર અને કેમ માત પુત્રીએ મોત પસંદ કરવા નક્કી કર્યું તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.