દુર્ઘટના@દેશ: નિર્વાણ મહોત્સવ દરમિયાન 65 ફૂટ ઊંચું સ્ટેજની સીડીઓ અચાનક ધરાશાયી, 7 લોકોના મોત

નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
 
દુર્ઘટના@દેશ: નિર્વાણ મહોત્સવ દરમિયાન  65 ફૂટ ઊંચું સ્ટેજની સીડીઓ અચાનક ધરાશાયી, 7 લોકોના મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુપીમાંથી ભયાનક દુર્ઘટના સામે આવી છે. યુપીના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન 65 ફૂટ ઊંચા સ્ટેજની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. 7ના મોત થયા છે.

ઘણાની હાલત નાજુક છે. તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો લોહીથી લથપથ ભક્તોને પેંડલ રીક્ષામાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા.

નિર્વાણ મહોત્સવમાં સવારે આ દુર્ઘટના થઈ હતી. તહેવાર દરમિયાન ભગવાન આદિનાથને લાડુ અર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આયોજકોએ લાકડાના 65 ઊંચા સ્ટેજ બનાવ્યા હતા. ઉપર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી.

ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલખની સીડીઓ ચઢી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાને કારણે આખો પાલખ તૂટીને નીચે પડ્યો હતો. આ દુર્ઘટના બાગપત શહેરથી 20 કિલોમીટર દૂર બરૌતમાં થઈ હતી.