દુર્ઘટના@પંજાબ: ફેક્ટરીમાંથી વહેલી સવારે અચાનક ગેસ લીક થતાં 9 લોકોના મોત
Apr 30, 2023, 11:17 IST

અટલ સમાચાર, ડેસ્ક
પંજાબનાં લુધિયાણામાં મોટી દુર્ઘટના થઈ છે. ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાના કારણે 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 11 લોકો બેભાન થઈ ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ત્યાં આવી પહોંચી છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. આ ઉપરાંત ઘાયલોને તુરંત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોનાં મતે આ ગેસ ફેક્ટરીથી લીક થયો છે, જે બાદ કેટલાય લોકો બેભાન થવાના સમાચાર છે. આ ફેકટરી શેરપુર ચોક નજીક સુઆ રોડ પર આવેલી છે. જાણકારી અનુસાર ગેસ સવાર 7.15 કલાકે લીક થયો હતો. પોલીસ આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દીધી છે અને રેસ્ક્યૂ ઓપરેશનની તૈયારી શરુ કરી દીધી છે. તેના માટે બઠિંડાથી એનડીઆરએફની ટીમ પણ ગ્યાસપુર માટે રવાના થઈ ગઈ છે.