પ્રોજેક્ટ ચિત્તા@દેશ: PM મોદીનાં બર્થ ડે પર નામીબિયાથી આઠ ચિત્તાઓને લઈને આવી પહોંચશે કાર્ગો વિમાન

અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા પરત લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. આવતીકાલે ચિતાની ફ્લાઈટ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઉતરશે. અગાઉ રાજસ્થાનના જયપુરમાં વિમાનને લેન્ડ કરવાની યોજના હતી, પરંતુ લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે તેને ગ્વાલિયરમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
17 સપ્ટેમ્બરે સવારે ચિત્તાઓનું વિમાન ગ્વાલિયરમાં ઉતરશે, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. નામીબિયાથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાં પાંચ માદા અને ત્રણ નરનો સમાવેશ થાય છે. ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્કનું અંતર જયપુરની સરખામણીમાં ઓછું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, ચિત્તાઓને ટુંક સમયમાં નેશનલ પાર્કમાં શિફ્ટ કરી શકાય. ચિત્તાઓને ત્રણ અલગ-અલગ હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્તાઓને નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે. આવતીકાલે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે.
The aircraft will have 8 cheetahs, crew, wildlife experts, veterinary doctors, scientists, officials, Indian High Commissioner in Namibia, Laurie Marker Cheetah expert along with her 3 biologists. Special crates as per international standards used to bring the Cheetahs: SP Yadav pic.twitter.com/5kdv7TIuPB
— ANI (@ANI) September 16, 2022
ત્રો જણાવ્યું હતું કે, જે પ્લેન દ્વારા ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે તે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેનના ચહેરાને ચિત્તાના ચહેરાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ચિત્તાઓને નામીબિયન એનજીઓ ચિતા સંરક્ષણ ફંડ (સીસીએફ)ની મદદથી ભારત લાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર પહેલીવાર 2009માં વાતચીત શરૂ થઈ હતી. 2020માં સુપ્રીમ કોર્ટે નામિબિયાથી ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ.91 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ માંસાહારી પ્રાણીને એક ખંડમાંથી બીજા ખંડમાં લાવવામાં આવશે.