કોરોના@દેશઃ છેલ્લા 24 કલાકમાં 3714 નવા કેસ નોંધાયા, 7 સંક્રમિતોના મોત થયા

દેશમાં અત્યાર સુધીમાં 194,27,16,543 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,96,169 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક


ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે ઘટાડો થયો છે. છેલ્લા 24  કલાકમાં 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 27 હજાર નજીક પહોંચ્યો છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 26,976 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,708 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,33,365 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,27,16,543 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,96,169 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

જૂન 2022માં નોંધાયેલા કેસ

6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયા હતા.
5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.
4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંક સતત બીજા દિવસે 50 થી વધુ નોંધાયો છે. સોમવારે કોરોનાના 53 નવા કેસ સામે આવ્યા છે. આમ, છેલ્લા 6 દિવસમાં કુલ 313 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. સોમવારે અમદાવાદ શહેરમાં 31-ગ્રામ્યમાં 1 સાથે સૌથી વધુ 32, વડોદરા શહેરમાં 9-ગ્રામ્યમાં 1 સાથે 10, સુરત શહેર-વલસાડમાં 3, રાજકોટમાં 2, આણંદ-મહેસાણા-તાપીમાં 1-1 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં હાલ કુલ 344 એક્ટિવ કેસ છે. આ પૈકી બાવન ટકા એટલે કે 179 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાંથી છે. આ સિવાય વડોદરામાં 42, સુરતમાંથી 15, રાજકોટ-જામનગરમાંથી 10 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે.