ખુશખબરઃ પંજાબની સરકારે 1લી જુલાઇથી દરેક ઘરને 300 યૂનિટ મફત વીજળી આપવાનુ એલાન કર્યું

   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
 
vij

અટલ સમાચાર, ડેસ્ક


પંજાબમાં ભગવંત માન સરકારને એક મહિનો પુરો થઇ ગયો છે. આ દરમિયાન સરકાર તરફથી લોકોને મોટી રાહત આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં દરેક ઘરને 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. પંજાબ વિધાનસભામાં જીત બાદ આમ આદમી પાર્ટીની સરકારને એક મહિને પુરો થઇ ગયો છે, હવે આપ સરકાર પુરેપુરી એક્શનમાં આવી રહી છે, સરાકરે કરેલા વાયદાને એકપછી એક પુરા કરવા માટેની શરૂઆત કરી દીધી છે. આપે ચૂંટણી પહેલા રાજ્યમાં 300 યૂનિટ ઘરેલુ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, હવે તેને મુખ્યમંત્રી ભગવંત માને પુરો કર્યો છે. 

રાજ્ય સરકારે પોતાના 30 દિવસનો કાર્યકાળ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબમાં 1લી જુલાઇથી 300 યૂનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. જોકે હજુ મફત વીજળીને લઇને ભગવંત માન તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન નથી આવ્યુ. પહેલા ભગવંત માને દાવો કર્યો હતો કે તે 16 એપ્રિલે પંજાબની જનતા માટે એક મોટુ એલાન કરશે. 


   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

29 જૂન, 2021એ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 300 યૂનિટ મફત વીજળીની સાથે જુના ઘરેલુ બીલો પરની ચડેલી રકમને માફ કરી દેવામાં આવશે. રાજ્ય પહેલાથી જ કૃષિ ક્ષેત્રને મફતમાં વીજળી આપે છે.