દુર્ઘટના@મહારાષ્ટ્ર: ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 6 લોકોનાં મોત, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમચાર ડોટ કોમ, ડેસ્ક
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેઓ સપ્તશ્રૃંગી મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. વાણી ગામ નજીક ભવારી ધોધ પાસે ઘાટ વળાંક પર આ અકસ્માત થયો હતો.
અહેવાલો અનુસાર, ઘાટ રોડ પર ઓવરટેક કરતી વખતે ઇનોવા કારે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને સીધી ખીણમાં ખાબકી હતી.
અકસ્માતની માહિતી મળતાં પોલીસ, સપ્તશ્રૃંગી ગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને ગ્રામ્ય પરિષદના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા. કાર જ્યાં પડી તે સ્થાન અત્યંત જોખમી છે અને 800 ફૂટ ઊંડું છે, જેના કારણે બચાવ ટીમ માટે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે. મૃતદેહો હજુ સુધી મળી શક્યા નથી. સ્થાનિકો જાહેર બાંધકામ વિભાગ પર ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે. ઘાટના આ વળાંક પરનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે અને વારંવાર ફરિયાદો કરવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. દાવો છે કે રસ્તાની ખરાબ હાલત આ દુ:ખદ અકસ્માતનું મુખ્ય કારણ હતી. નાસિકથી વધારાની બચાવ ટીમો બોલાવવામાં આવી છે, અને કામગીરી ચાલુ છે.
મૃતકોના નામ
1. કીર્તિ પટેલ
2. રસીલા પટેલ
3. વિઠ્ઠલ પટેલ
4. લતા પટેલ,પચન પટેલ
5. મણિબેન પટેલ

