બ્રેકિંગ@દેશ: લાલકૃષ્ણ અડવાણીને આપવામાં આવશે ભારત રત્ન, PM મોદીએ ટ્વિટ કરી શું કહ્યું ?
Updated: Feb 3, 2024, 11:56 IST
![L K Advani](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/5392a8e955d2bb6bd2a502f63f3400c3.jpg)
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી જાહેરાત કરી છે. આજે PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, તેઓ અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી PM પદ ઉમેદવાર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે. ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.