કોરોના@દેશઃ 24 કલાકમાં 48,648 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1.21 લાખ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં ભલે કોરોના સંક્રમણનો આંક 81 લાખની નજીક પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા નવા કેસો 50 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 6 લાખની નીચે આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24
 
કોરોના@દેશઃ 24 કલાકમાં 48,648 કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1.21 લાખ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં ભલે કોરોના સંક્રમણનો આંક 81 લાખની નજીક પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા નવા કેસો 50 હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 6 લાખની નીચે આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,648 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 563 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 80,88,851 થઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોવિડ-19 ની મહામારી સામે લડીને 73 લાખ 73 હજાર 375 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 5,94,386 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,21,090 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,77,28,088 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના 24 કલાકમાં 11,64,648 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો, 24 કલાકમાં કોરોના વાયરસના 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 4 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3708 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 213 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,71,040 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,254 છે. આજે રાજ્યમાં કુલ 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે.