દેશ: કાશ્મીરમાં એક કોરોના પીડિતનું મોત, ગ્રેટર નોઇડામાં નોંધાયા 3નવા કેસ
અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં તાંડવ મચી ગયું છે. સ્પેન, ઇટાલી અને અમેરિકામાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. સ્પેનમાં કોરોનાના કારણે એક દિવસમાં 700 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ભારતમાં આવી ભયાવહ સ્થિતિ ઉભી ન થાય એટલે હજારો લોકો ઘરમાં કેદ છે. હાલમાં દેશમાં કોરોનાના 606 પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને
Mar 26, 2020, 12:16 IST
અટલ સમાચાર,ડેસ્ક
કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં તાંડવ મચી ગયું છે. સ્પેન, ઇટાલી અને અમેરિકામાં પરિસ્થિતિ વધારે ગંભીર થઈ ગઈ છે. સ્પેનમાં કોરોનાના કારણે એક દિવસમાં 700 લોકોના મૃત્યુ થઈ ગયા છે. ભારતમાં આવી ભયાવહ સ્થિતિ ઉભી ન થાય એટલે હજારો લોકો ઘરમાં કેદ છે.
હાલમાં દેશમાં કોરોનાના 606 પોઝિટિવ મામલા સામે આવ્યા છે અને એના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. રાહતની વાત તો એ છે કે કોરોનાપીડિત 42 લોકો સાજા પણ થઈ ગયા છે.