વેપાર@દેશ: ડાંગરના પાકના ભાવ નીચા જતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

ખેડૂતો મુંઝવણમાં મુકાયા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બજારોમાં પાકના ભાવમાં વધારોને ઘટાડો જોવા મળતો જ હોય છે.  દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી ડાંગરનો પાક છે. ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે. પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા સમય પહેલાં 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો. પરંતુ છેલ્લા 15થી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી 10% કરવા મુખ્યમંત્રીને રજૂઆત માંગણી કરાય છે.


ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો ઉત્પાદન મોટા પ્રમાણમાં થતા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવે. સરકાર દ્વારા ડાંગરની નિકાસ પર 10% ને બદલે 20% ટકા ડ્યુટી કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાંથી આફ્રિકન અને અરેબિયન દેશોમાં ડાંગરની નિકાસ થાય છે. સાથે સાથે થાઈલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં પણ નિકાસ કરવામાં આવતી હોય છે. હાલ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની આવક થઈ છે, ત્યારે નિકાસ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તો ખેડૂતો વધુ પ્રમાણમાં ડાંગર અલગ અલગ દેશોમાં મોકલી શકે. જેથી કરીને તેમને નીચા ભાવની જે ચિંતા છે તેમાંથી પણ બહાર આવી શકે અને વિદેશોમાં ડાંગરની નિકાસ કરીને આવક પણ પ્રાપ્ત કરી શકે.


ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ડાંગરનો પાક દર વર્ષે સારી રીતે થાય છે. પાણી ઓછું મળે ત્યારે જ ડાંગરના પાક પર તેની અસર થતી હોય છે. આ વર્ષે તમામ કુદરતી પરિસ્થિતિઓ પણ ખેડૂતોની તરફેણમાં રહેતા ડાંગરના પાકનું ઉત્પાદન નોંધનીય રીતે વધારે થયું છે. અંદાજે માત્ર દક્ષિણ ગુજરાતમાં 12 લાખ ગુણ ડાંગરના પાકનું ઉત્પાદન થયું છે. ડાંગરનો પાક મોટા પ્રમાણમાં ઉત્પાદન થતા તેની કિંમત નીચે જઈ રહી છે. ખેડૂતોને ચિંતા છે કે ડાંગરના ભાવમાં પોષણક્ષમ ભાવ તેમને ન મળે તો આર્થિક નુકસાન થશે. સહકારી મંડળીઓમાં ડાંગરના પાકની ગુણોનો ઢગ લાગી ગયો છે. ડાંગરના પાકની વધતી આવકને કારણે હવે ખેડૂતો પણ ભાવને લઈને મુંઝવણમાં મુકાયા છે.