મહારાષ્ટ્ર: NCPના ધારાસભ્ય ભરત ભાલકેનું 60 વર્ષની વયે કોરોનાથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક મહત્વનું છે કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. અત્યારે હાલત એવી છે કે મુંબઈ એરપોર્ટ પર વ્યવસ્થા વધુ કડક બનાવી દેવાઈ છે. કોરોના પરીક્ષણ કર્યા વિના એરપોર્ટથી બહાર નીકળવું પોસિબલ નથી. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈના પ્રભારીએ નવા નિયમો જાહેર કર્યા હતા. અટલ સમાચાર આપના
 
મહારાષ્ટ્ર: NCPના ધારાસભ્ય ભરત ભાલકેનું 60 વર્ષની વયે કોરોનાથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક

મહત્વનું છે કે મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત છે. અત્યારે હાલત એવી છે કે મુંબઈ એરપોર્ટ પર વ્યવસ્થા વધુ કડક બનાવી દેવાઈ છે. કોરોના પરીક્ષણ કર્યા વિના એરપોર્ટથી બહાર નીકળવું પોસિબલ નથી. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈના પ્રભારીએ નવા નિયમો જાહેર કર્યા હતા.

ટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહારાષ્ટ્રના પંઢરપુર- મંગલવેદ મત વિસ્તારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP ના ધારાસભ્ય ભરત ભાલકેનું આજે પુણેની રૂબી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને પોસ્ટ કેવિડ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ન્યૂઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર, કોરોના ચેપ લાગ્યાં બાદ ભરત ભાલકેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રએ કોરોના સંકટને લઈને બહારથી આવતા લોકોને લઈને કોરોના પરીક્ષણ વિનાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો કોરોના નિયંત્રણ ન કરી શકાય તો બીજી લહેર સુનામી જેવી હશે. ઉદ્ધવ સરકારે શરતો સાથે અન્ય રાજ્યોથી મુંબઇ આવતા મુસાફરોની એન્ટ્રી શરૂ કરી દીધી છે. નવા નિયમો અનુસાર દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, ગોવાથી મુસાફરો કોરોના નેગેટિવ રિપોર્ટ વિના રાજ્યમાં પ્રવેશી શકશે નહી.