રિપોર્ટ@દેશ: મોરેશિયસમાં નવું સંસદ ભવન બનશે અને ભારત મદદ કરશે, બંને દેશો 8 કરારો પર સહમત

તેમની હાજરી બંને દેશો વચ્ચે સારા સંબંધોનો પુરાવો છે.
 
રિપોર્ટ@દેશ: મોરેશિયસને નવું સંસદ ભવન બનશે અને ભારત મદદ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસ પ્રવાસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોરેશિયસ પ્રવાસનો 2 દિવસ છે. આજે મોરેશિયસના PM સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે 8 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પછી બંને નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું.

આ દરમિયાન મોરેશિયસના PM નવીનચંદ્ર રામગુલામે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી આઝાદીની 57મી વર્ષગાંઠના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં તેમની હાજરીથી અમને સન્માનિત કર્યા છે. તેમની હાજરી બંને દેશો વચ્ચે સારા સંબંધોનો પુરાવો છે.

તેમણે કહ્યું કે ભારત-મોરેશિયસ ભાગીદારીને 'એન્હેન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ'નો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત મોરેશિયસમાં નવી સંસદ ભવન બનાવવામાં મદદ કરશે. PM મોદીએ આને 'લોકશાહીની જનની' ભારત તરફથી મોરેશિયસને ભેટ ગણાવ્યું છે.

આ પહેલા પીએમ મોદીએ મોરેશિયસના પૂર્વ વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ અને વિપક્ષના નેતા જ્યોર્જ પિયર સાથે મુલાકાત કરી હતી.

તેઓ આજે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય સેનાની ટુકડી, નૌકાદળનું યુદ્ધ જહાજ અને વાયુસેનાના આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમ પણ આ સમારોહમાં ભાગ લેશે.

ભારતીય મૂળના સર સીવુસાગુર રામગુલામના નેતૃત્વમાં 12 માર્ચ 1968ના રોજ મોરેશિયસે બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતા મેળવી. તે 1992માં કોમનવેલ્થ હેઠળ પ્રજાસત્તાક બન્યું.