રિપોર્ટ@દેશ: આજે 6 સેન્ટરમાં NEETની રીએક્ઝામ, NTA ડિરેક્ટરને હટાવાયા

 NTA ડિરેક્ટરને હટાવાયા
 
રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. NEET પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોની આજે એટલે કે 23મી જૂને રી-એગ્ઝામ થશે લેવામાં આવશે. પરીક્ષા બપોરે 2થી 5:20 દરમિયાન યોજાશે. NTAએ 20મી જૂને રી-એગ્ઝામ માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ પરીક્ષાનું પરિણામ 30 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે. NEET UGના સુધારેલા પરિણામ જાહેર થયા પછી, કાઉન્સેલિંગ પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થશે.

અગાઉ, NEET-UG પરીક્ષાના વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહને શનિવારે રાત્રે 9 વાગ્યે હટાવ્યા હતા. પ્રદીપ સિંહ ખારોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેન્દ્રએ NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી દીધી છે. શિક્ષણ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે આની જાહેરાત કરી હતી.


NEETની રી-એગ્ઝામ તે છ શહેરોમાં યોજાઈ રહી છે જ્યાં વિદ્યાર્થીઓને સમય ગુમાવવાને કારણે ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. રી-એગ્ઝામ આ 6 શહેરોમાં છે પરંતુ પરીક્ષા કેન્દ્રો બદલવામાં આવ્યા છે. આ 6 શહેરો છે- પરીક્ષા બપોરે 2થી 5 દરમિયાન એક જ શિફ્ટમાં લેવામાં આવશે. માત્ર તે જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે જેમને NTAએ ઈમેલ દ્વારા આ અંગે જાણ કરી છે.


હરિયાણાના ઝજ્જર કેન્દ્રમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર પરથી 720/720 અંક મેળવનાર 6 ઉમેદવારે પરીક્ષા આપી હતી. આ કેન્દ્ર પર ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન કોઈ સમસ્યા ન થાય એ માટે પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.


NEET પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે રાત્રે 9 વાગ્યે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને હટાવી દીધા. પ્રદીપ સિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે.

1 મે ​​2024ના રોજ, તેમને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ના અધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. દરમિયાન આજે એટલે કે 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. તે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા રવિવારે 300 શહેરોમાં 1000થી વધુ કેન્દ્રો પર યોજાવાની હતી.


અગાઉ બપોરે શિક્ષણ મંત્રાલયે અનિયમિતતા રોકવા અને NTA પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન તેના ચીફ હશે. આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા વિવાદ પર 20 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ સમિતિ શિક્ષણ મંત્રાલયને NTAના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા, ટ્રાન્સફર અને ડેટા, સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા કરવા સૂચનો આપશે.