રાજકારણ@દેશ: શરદ પવારે ગૃહમંત્રી અમિત શાહને તેમના પદની ગરિમા જાળવી રાખવાની સલાહ આપી

ગૃહમંત્રીએ કહ્યું- ભાજપે પવારના વિશ્વાસઘાતની રાજનીતિને 20 ફૂટ જમીનમાં દફનાવી દીધી

 
મહારાષ્ટ્રઃ કંગનાની ઓફિસ તોડવા મુદ્દે NCP સુપ્રીમો શરદ પવારનું મોટું નિવેદન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શરદ પવારે શાહને આલાહ આપી છે.તેમને કહ્યું, કે  ગૃહમંત્રી અમિત શાહને તેમના પદની ગરિમા જાળવી રાખવી જોઈએ. 12 જાન્યુઆરીના રોજ અમિત શાહે શિરડીમાં ભાજપ સંમેલનમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની જીતે 1978માં પવાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિશ્વાસઘાતની રાજનીતિને 20 ફૂટ જમીનમાં દફનાવી દીધી છે.

પવારે મંગળવારે મુંબઈમાં કહ્યું - આ દેશે ઘણા શ્રેષ્ઠ ગૃહમંત્રી જોયા છે, પરંતુ તેમાંથી કોઈને પણ તેમના રાજ્યમાંથી બહાર કરવામાં આવ્યા નથી.

તેમના સંકેત 2010માં સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં શાહને બે વર્ષ માટે ગુજરાતની બહાર કરવા તરફ હતો. 2014માં શાહને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.