રાજકારણ@દેશ: BJPએ AAP પર મતોમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો

ભાજપે કહ્યું- લાખો લઘુમતી મતદારોના નામ છેતરપિંડીથી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા

 
રાજકારણ@દેશ: BJPએ AAP પર મતોમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક  

રાજકારણમાં અમુક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. દિલ્હી ભાજપે અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) પર વિધાનસભા ચૂંટણી જીતવા માટે મતોમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીના મતદારોનો ડેટા શેર કરતા દાવો કર્યો કે લાખો લઘુમતી મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે તુગલકાબાદ અને કાલકાજીના ઘણા હિંદુ મકાનમાલિકોએ ફરિયાદ કરી છે કે કેજરીવાલે લઘુમતી સમુદાયના ઘણા લોકોને જાણ કર્યા વિના તેમના સરનામે મતદાતા તરીકે નોંધ્યા છે.

આ પ્રેસ કોન્ફરન્સમાં તુગલકાબાદના ઘણા મકાનમાલિકોને પણ બોલાવવામાં આવ્યા હતા, જેમણે મીડિયાને જણાવ્યું હતું કે ઘણા લોકોના નામ તેમના એડ્રેસ પર નોંધાયેલા છે, જેમને તેઓ જાણતા નથી.