રાજકારણ@દેશ: નવા CMની જાહેરાત, ભાજપમાંથી 19, NCPમાંથી 7 અને શિવસેનામાંથી 5 મંત્રીઓ બની શકે છે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે હાજરી આપશે.
 
રાજકારણ@દેશ: નવા CMની જાહેરાત, ભાજપમાંથી 19, NCPમાંથી 7 અને શિવસેનામાંથી 5 મંત્રીઓ બની શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે નવા CMની જાહેરાત થઈ શકે છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ મળશે. જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે હાજરી આપશે.

ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી બાદ એકનાથ શિંદેને મળશે. તેમની હાજરીમાં સત્તા-શેરિંગની અંતિમ ફોર્મ્યુલા પર ચર્ચા કરવામાં આવશે. આ પછી, નામાંકિત મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શપથ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.

મહાયુતિના 31 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાં ભાજપના 19, એનસીપીના 7 અને શિવસેનાના 5 ધારાસભ્યોના નામ આજે ફાઈનલ કરવામાં આવશે.