રાજકારણ@દેશ: બજેટ સત્રના 2 દિવસે મણિપુર હિંસા પર ચર્ચા થઈ શકે
રાષ્ટ્રપતિ શાસનને કારણે રાજ્યનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું.
Mar 11, 2025, 12:31 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બજેટ સત્રનો 2 દિવસ છે. આજે બજેટ સત્રના 2 દિવસે મણિપુર હિંસા પર ચર્ચા થઈ શકે છે. સ્પીકર ઓમ બિરલાના નેતૃત્વ હેઠળની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ આ માટે એક કલાકનો સમય આપ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી માટે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. ગઈકાલે, નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર માટે 35,103.90 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું.
રાષ્ટ્રપતિ શાસનને કારણે રાજ્યનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. બજેટમાં કામચલાઉ શેલ્ટર માટે 15 કરોડ રૂપિયા, આવાસ માટે 35 કરોડ રૂપિયા અને રાહત કાર્ય માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓના પ્રોત્સાહન માટે 2,866 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

