કાર્યવાહી@દેશ: દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની CBI ધરપકડને પડકારતી અરજી ફગાવી
CBI ધરપકડને પડકારતી અરજી ફગાવી
Aug 5, 2024, 17:36 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની CBI ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી. તેમજ જામીન અરજી માટે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું. 29 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. CBIએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસના અસલી આર્કિટેક્ટ છે. તેની ધરપકડ કર્યા વિના કેસની તપાસ થઈ શકી ન હતી. એક મહિનાની અંદર અમે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. જોકે, 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ CBI કેસના કારણે તે હજુ પણ જેલમાં છે.