રિપોર્ટ@દેશ: રાફામાં ઇઝરાયલની સેનાના બોમ્બ વિસ્ફોટમાં 25 લોકોના મોત નીપજ્યા, 50 ઘાયલ

બોમ્બ વિસ્ફોટમાં 25ના મોત નીપજ્યા
 
રિપોર્ટ@દેશ: રાફામાં ઇઝરાયલની સેનાના બોમ્બ વિસ્ફોટમાં 25ના મોત નીપજ્યા, 50 ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનામાં ગણા લોકો મોતને ભેટતા હોય છે.  ​​​ઇઝરાયલની સેનાએ શુક્રવારે (21 જૂન) ગાઝાના દક્ષિણી શહેર રાફા નજીક અલ-મવાસીમાં પેલેસ્ટિનિયન ટેન્ટ કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો. ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા અને 50 ઘાયલ થયા. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ હુમલાની જાણકારી આપી હતી.

આ નાના પેલેસ્ટિનિયન પ્રદેશમાં હાલનો જીવલેણ હુમલો હતો, જ્યાં હજારો લોકો ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈમાં ભાગી ગયા છે. રાફામાં સિવિલ ડિફેન્સ ફર્સ્ટ રિસ્પોન્સર્સના પ્રવક્તા અહેમદ રાદવાનના જણાવ્યા અનુસાર, સાક્ષીઓએ બે સ્થળો પર ગોળીબારની જાણ કરી હતી.

ઇઝરાયલની સેનાએ કહ્યું કે આ મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે, પરંતુ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે હુમલો કર્યો હોવાના કોઇ સંકેત નથી. ઇઝરાયલે પણ અન્ય કોઈ હુમલાઓ અથવા તેમના લક્ષ્યો વિશે કોઈ માહિતી આપી નથી.

ઇઝરાયલે ઘણી વખત કહ્યું છે કે તે હમાસના આતંકીઓ અને લક્ષ્યોને નિશાન બનાવે છે. તે હુમલામાં નાગરિકોના મૃત્યુને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, ઇઝરાયલનું એમ પણ કહેવું છે કે આતંકવાદીઓ લોકોની વચ્ચે રહીને હુમલા કરે છે. તેથી, નિર્દોષ લોકો પણ હુમલામાં જીવ ગુમાવે છે.


21 જૂનની ઘટના એક મહિનામાં ગાઝામાં ઇઝરાયલનો બીજો મોટો હુમલો છે. આ પહેલા રવિવારે (26 મે) ઇઝરાયલે રાફા શરણાર્થી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં 45 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા.

CNNના સમાચાર મુજબ ગાઝાના અધિકારીઓ અને પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું કે આ હુમલો એક શરણાર્થી કેમ્પ પર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઇઝરાયલના કબજા હેઠળના આ વિસ્તારોને સેના દ્વારા સેફ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વિસ્થાપિત લોકોને અહીં રાખવામાં આવ્યા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેણે રાફામાં હમાસ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો હતો, જેમાં હમાસના આતંકવાદીઓ થોડા સમય પહેલા કામ કરી રહ્યા હતા. IDFએ એમ પણ કહ્યું હતું કે હુમલા બાદ લાગેલી આગથી સંખ્યાબંધ નાગરિકોને નુકસાન થયું હતું, જેની તપાસ કરવામાં આવી રહી છે.