રિપોર્ટ@પ્રયાગરાજ: મહાકુંભમાં 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 57.08 કરોડ ભક્તોએ સ્નાન કર્યું

સવારે 8 વાગ્યા સુધી 33.25 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું.
 
જાણો અર્ધ મહાકુંભ મેળા વિશે કેટલીક પૌરાણિક વાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મહાકુંભનો મેળો યોજાયેલો છે. કરોડો લોકો આ મેળામાં પહોચ્યા હતા. આજે મહાકુંભનો 39મો દિવસ છે. મેળો પુર્ણ થવામાં હજુ 6 દિવસ બાકી છે. સવારે 8 વાગ્યા સુધી 33.25 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 57.08 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. ગુરુવારે પણ મહાકુંભમાં ભીડ જોવા મળે છે. સવારથી જ સંગમ કાંઠે ભીડ ન થાય, તે માટે પોલીસ શ્રદ્ધાળુઓને સ્નાન કરીને ત્યાંથી દૂર જવાની અપીલ કરી રહી છે.

આજે ભારત સહિત અન્ય દેશોના 40થી વધુ VVIP સંગમ સ્નાન કરશે. સમગ્ર સ્નાન પર્વ દરમિયાન આ પહેલીવાર છે કે આટલા બધા VVIP મેળામાં આવી રહ્યા છે. ગુરુવાર સવારથી જ સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર 8 થી 10 કિમી સુધી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શહેરની બહાર પાર્કિંગમાં વાહનો રોકવામાં આવી રહ્યા છે. ત્યાંથી, શ્રદ્ધાળુઓ શટલ બસ અને ઇ-રિક્ષા દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે. બુધવારે એક કરોડ આઠ લાખ ભક્તોએ સ્નાન કર્યું હતું.

ભીડને કારણે, પ્રયાગરાજ જતી અને આવતી 8 ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. 4 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે આવતીકાલે એટલે કે શુક્રવારથી મહાકુંભમાં ભીડ વધુ વધશે. કારણ કે, આ મહાકુંભનો છેલ્લું વીકએન્ડ છે. આ મેળો 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સ્નાન સાથે સમાપ્ત થશે.

પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર મંદારે મેળાની તારીખ લંબાવવાની અફવાઓને નકારી કાઢી છે. સીએમ યોગીએ ગુરુવારે વિધાનસભામાં એમ પણ કહ્યું હતું કે મહાકુંભનો સમયગાળો ધાર્મિક દૃષ્ટિકોણથી નક્કી થાય છે. આ વખતે આ કાર્યક્રમ 45 દિવસ માટે યોજાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તારીખ લંબાવવાની શક્યતા ઘણી ઓછી છે.

મહારાષ્ટ્ર મંત્રીમંડળ ગુરુવારે પ્રયાગરાજ પહોંચી રહ્યું છે. તે સંગમમાં ડૂબકી લગાવશે. આજે પ્રયાગરાજમાં હવામાન સ્વચ્છ રહેશે. વરસાદની કોઈ આગાહી નથી. અહીં, પ્રયાગરાજ પોલીસે અત્યાર સુધીમાં મહાકુંભ સંબંધિત અફવાઓ અને નકલી પોસ્ટ સંબંધિત 101 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR નોંધી છે.

બુધવારે, યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાયે સંગમમાં ડૂબકી લગાવી. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, અભિનેત્રી નિમરત કૌર, કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના પત્ની સીમા નકવીએ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ઉપરાંત નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પણ સંગમ પહોંચ્યા હતા.