રિપોર્ટ@દેશ: મેસ્સી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ અને અર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા છે. આ ત્રણેય ફૂટબોલર રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા. એ પછી સવારે 11 વાગ્યે મેસ્સીએ તેમના 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, જેમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ હાજર રહ્યા.
કાર્યક્રમ પછી તમામ સોલ્ટ લેક સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં તેમણે ફેન્સ સાથે મુલાકાત કરી. જોકે, ત્રણેય ખેલાડીઓ લગભગ 22 મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા. આનાથી નારાજ ફેન્સે સ્ટેડિયમમાં હંગામો શરૂ કરી દીધો અને સ્ટેન્ડમાંથી બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફેન્સની માફી માગી છે. એટલું જ નહીં, ADG લો એન્ડ ઓર્ડર જાવેદ શમીમે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને મુખ્ય આયોજક સતાદ્રૂ દત્તાની ધરપકડ કરી લેવામાં આવી છે.

