રિપોર્ટ@બિહાર: પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત, કયા કારણે આવું પગલું ભર્યું ?

એક જ પરિવારમાં એકસાથે 4 મોતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ.
 
રિપોર્ટ@બિહાર: પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત, કયા કારણે આવું પગલું ભર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બિહારમાથી હદય કંપાવી ઊઠે એવી આત્મહત્યાની દૂ;ખદ ઘટના સામે આવી છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક સનસનાટી ભરી ઘટના સામે આવી છે. જેમા એક પિતાએ પોતાના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી લીધી. આ ઘટનામાં3 દીકરીઓ સાથે પિતાનું મૃત્યુ થયું, જ્યારે 2 દીકરા બચી ગયા.

એક જ પરિવારમાં એકસાથે ચાર મોતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા ગામની છે.

ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. સોમવારની સવારે આ ઘટનાની જાણકારી મળી. જણાવવામાં આવે છે કે રવિવારની રાત્રે અમરનાથ રામએ પોતાની 3 દીકરીઓ રાધા કુમારી રાધિકા અને શિવાની સાથે ઘરમાં ફાંસી લગાવી લીધી.

અમરનાથ રામે પોતાના 2 દીકરા શિવમ કુમાર અને ચંદનને પણ ફાંસી લગાવવાનું કહ્યું હતું, પરંતુ બંને બચી ગયા. બંને બાળકો ઘરમાંથી બહાર નીકળ્યા અને બૂમો પાડવા લાગ્યા.

અમરનાથના દીકરા શિવમે જણાવ્યું કે રાત્રે આખા પરિવારે જમવામાં ઈંડા ભુજીયા અને બટાકા-સોયાબીનની સબ્જી સાથે ભાત ખાધા હતા. બહેને જમવાનું બનાવ્યું હતું. અમારી માતાનું અવસાન થઈ ગયું છે. અમારા પરિવારમાં પપ્પા જ હતા. તેઓ જ અમારું ધ્યાન રાખતા હતા.

પુત્રએ જણાવ્યું કે 'પિતાએ બધાને જગાડ્યા. હું મોબાઈલ જોઈ રહ્યો હતો એટલે મને ઊંઘ નહોતી આવી. પપ્પાએ અમારા પાંચેય (ત્રણ દીકરી અને બે દીકરા)ના ગળામાં માતાની સાડીથી ફાંસો નાખીને ટ્રંક પર ચડવાનું કહ્યું અને ઘરની છત પર લટકાવી દીધા.

ત્યારબાદ તેમણે અમને ટ્રંક પરથી કૂદવાનું કહ્યું. બધી બહેનો પપ્પા સાથે ઝટકાથી કૂદી પડી. હું પણ કૂદી પડ્યો, પણ ગળું દબાવાથી દુખાવો થતાં ફાંસો ઢીલો કરી દીધો અને પોતાને ફાંસામાંથી કાઢી લીધો. ત્યારબાદ મેં મારા ભાઈ ચંદનના ગળામાંથી પણ ફાંસો ખોલી નાખ્યો અને બહાર નીકળીને બૂમો પાડવા લાગ્યો.'