રિપોર્ટ@દેશ: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત

જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષ છે.
 
રિપોર્ટ@દેશ: મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં આજે મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં એક બાળક સહીત 4ના મોત થયા હતા. જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષ છે.

આ અકસ્માત નૈનીતાલમાં ખૈરણા પાસે થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને દોરડા વડે રસ્તા પર લાવવામાં આવી રહ્યા છે.

સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.આ બસ અલ્મોડાથી નૈનીતાલ જઈ રહી હતી. બસમાં લગભગ 35 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે 15 થી 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. નૈનીતાલથી ફાયર વિભાગ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ હતી.